સુરત: પાલિકાના ડે. કમિશનર અને સ્થાયી અધ્યક્ષ હોસ્પિટલ પહોંચી ગયાં


- અન્ય લગ્ન પ્રસંગ પર પણ ચાંપતી નજર રખાશે, ફૂડ પોઈઝનીંગને પગલે પાલિકાની ટીમ દોડતી થઈ

સુરત,તા. 25 મે 2022, બુધવાર

સુરત મ્યુનિ.ના કતારગામ ઝોનમાં લગ્ન પ્રસંગમાં બનેલી ફૂડ પોઈઝનીંગની ઘટના બાદ પાલિકા તંત્ર દોડતું થયું છે. ફૂડ પોઈઝનીંગ બાદ એક સાથે 49 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા પડતા પાલિકાના ડે. કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને સ્થાયી સમિતિ અધ્યક્ષ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. 

કતારગામ લગ્ન સમારંભમાં ફૂડ પોઈઝનીંગની ઘટના બાદ પાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થળ પર જ જે લોકોને ફૂડ પોઈઝનીંગની અસર દેખાતી હતી તે લોકોને સ્થળ ઉપર જ સારવાર શરૂ કરી દીધી હતી. રાત્રી દરમિયાન વધુ લોકોની હાલત બગડી હતી તેવા સાત લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. 

સવારે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે દરોડાની કામગીરી કરી હતી જ્યારે ડે.કમિશનર એન્ડ હોસ્પિટલ ડો.આશિષ નાયક અને સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલ ફૂડ પોઈઝનીંગ ભોગ બનનાર લોકોને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં પહોંચ્યા હતા તેઓએ  સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને દાખલ થયેલા દર્દીઓની સ્થિતિ જાણી હતી. .  હાલમાં ચાલી રહેલી ગરમીને પગલે દૂધની બનાવટની  જલ્દી બગડી જાય તેવી ઠાઈ ખાવું જોખમ હોવાથી તેનો ઉપયોગ તકેદારીથી કરવા માટે અપીલ કરવામાં આવી છે. 

વધુ વાંચો : કતારગામ લગ્ન સમારંભમાં ફૂડ પોઈઝનિંગ થતા રસોઈયો પરિવાર સહિત ગાયબ



https://ift.tt/iu3WRGT from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/QlbYozK

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ