અડાજણના ગ્રીન રેસીડન્સીનો ફ્લેટ બેંકમાં મોર્ગેજ હોવા છતા બારોબાર વેચી દીધો


- ફ્લેટ ખરીદનાર સી.એ.ની પત્નીને ફ્લેટ ખરીદયાના 9 વર્ષ બાદ નોટીસ મળતા ચોંકી ગયાઃ ફ્લેટ માલિક બારડોલી પોલીસના ગુનામાં જામીન મુક્ત બાદ ફરાર

સુરત,તા.18 મે 2022,બુધવાર

અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિરની સામે ગ્રીન રેસીડન્સીનો ફ્લેટ એચડીએફસી ફાઇનાન્સીયલ બેંકમાં મોર્ગેજ હોવા છતા બારોબાર વેચી દેનાર ફ્લેટ માલિક વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિરની સામે ગ્રીન રેસીડન્સીના ફ્લેટ નં. એ/101 માં રહેતા સી.એ ધર્મેશ ધીરજ તમાકુવાલાની પત્ની દીપાબેન (ઉ.વ. 50) એ માર્ચ 2012 માં રહેણાંક ફ્લેટ નિતીન ગોપાલ રાણઆ (રહે. એ/47, ભુલાભાઇ દેસાઇ પાર્ક, મિનાક્ષી વાડી, કતારગામ) પાસેથી રૂ. 29 લાખમાં માતા કલાવતીબેન સુખારામવાળાના નામે વેચાણ દસ્તાવેજથી ખરીદયો હતો. પરંતુ ઓક્ટોબર 2021 માં ઉધના દરવાજા સ્થિત એચડીએફસી ફાઇનાન્સીયલ સર્વિસ બેંક દ્વારા નિતીન રાણા અને તેના પરિવારના નામે ફ્લેટ ઉપરાંત અન્ય મિલકત મોર્ગેજ કરવામાં આવી હોવાની નોટીસ ફટાકારવામાં આવી હતી. જેને પગલે ચોંકી ગયેલા દીપાબેન તમાકુવાલાએ પોતાની વકીલ હસ્તક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે નિતીન ગોપાલ રાણા વિરૂધ્ધ બારડોલી પોલીસ સ્ટેશનમાં ફ્રોર્ડનો ગુનો નોંધાયો છે અને તબીબી સારવારના નામે જામીન મુક્ત થયા બાદ હાલ ફરાર છે.



https://ift.tt/T4KJFPy from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mwJId7E

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ