![]() |
accuse |
મકરપુરા બસ ડેપો પાછળ ઇન્દુયાજ્ઞિાક સોસાયટીમાં રહેતા અને મકરપુરા જીઆઇડીસીમાં લેથ મશીનનું કારખાનું ચલાવતા દિલીપકુમાર કુશ્વાહ(મૂળ બિહાર) તા.૩જીએ સવારે ૯ વાગે પત્નીને દવાખાને લઇ જવાના હતા.જેથી તેમણે પત્ની બિન્દુદેવીને કહ્યું હતું કે,હું અડધો કલાકમાં કારખાને જઇ આવું છું.પરંતુ ત્યારબાદ તેઓ પરત આવ્યા નહતા અને તેમનો ફોન પણ નો રિપ્લાય આવતો હતો.પરિવારે શોધખોળ કરતાં બીજા દિવસે સવારે તરસાલી હાઇવે પર કોર્પોરેશનની કચરાની સાઇટ પરથી દિલીપકુમારનો મૃતદેહ મળી આવ્યો હતો.
બનાવને પગલે ભારે ઉહાપોહ થતાં પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને પણ તપાસમાં જોડાવવા સૂચના આપી હતી.ક્રાઇમ બ્રાન્ચના એસીપી એચ એ રાઠોડે ત્રણ પીઆઇના નેજા હેઠળ ત્રણ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તેમજ મરનારના મોબાઇલના નેટવર્ક સહિતની વિગતો તપાસતાં ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ખૂલ્યો છે.
દિલીપકુમારને એ વી સ્ટીલ કંપનીમાંથી વધુ કામ મળતું હોવાથી જીઆઇડીસીમાં પ્રિયંકા એન્જિનિયરિંગ ના નામે લેથ મશીનનું કારખાનું ધરાવતા તેના મિત્ર રવિકાન્ત યોગેન્દ્ર પ્રસાદને કામ ઓછું મળતું થયું હતું.જેથી તેણે બંનેના કોમન મિત્ર અડવાણી કુમાર પાસવાનની મદદ લઇ સવારે દિલીપકુમારને પોતાને કારખાને બોલાવ્યો હતો અને માથામાં ઘા ઝીક્યા બાદ ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ એફ ચૌધરી,પીએસઆઇ એસ એમ ભરવાડ અને ટીમે હત્યારાને દબોચી લેતાં તેણે હત્યાની કબૂલાત કરી હતી.જ્યારે,તેનો સાગરીત ફરાર થઇ જતાં તેની શોધખોળ હાથ ધરાઇ છે.
https://ift.tt/qknFiVW
0 ટિપ્પણીઓ