આમિર ખાનની આગામી ફિલ્મમાં બાબરી ધ્વંસના દ્રશ્યો


- અગાઉ, પીકેનાં દ્રશ્યો સામે વાંધો ઉઠાવાયો હતો 

મુંબઇ : આમિર ખાનની પીકે પછી આગામી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા પણ વિવાદમાં સપડાય તેવી સંભાવના છે. આ ફિલ્મમાં બાબરી ધ્વંસ સહિત કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ છે. એ ફિલ્મમાં કયા સંદર્ભમાં છે અને કેવી રીતે દર્શાવાય છે તે મુદ્દે વિવાદ થઈ શકે છે. આ ફિલ્મ  ઓસ્કર વિજેતા ફારેસ્ટ ગમ્પ આધારિત છે. તેમાં અમેરિકાની અનેક ઘટનાઓ વર્ણવવામાં આવી હતી. લાલસિંહ ચઢ્ઢામાં તેને ભારતીય કથામાં ઢાળવામાં આવી છે.  દેશમાં હાલ ઐતિહાસિક ઘટનાઓ તથા પાત્રો સંદર્ભમાં અનેક વિવાદ સર્જાયા છે. આમિરની આ પહેલાંની ફિલ્મ પીકેમાં હિંદુ દેવી દેવતાઓનાં ચિત્રણ અંગે પણ વિવાદ સર્જાયો હતો. 

જોકે, લાલસિંહના મેકર્સ તરફથી આ બાબતે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 

કોવિડના કારણે આ ફિલ્મનું શૂટિંગ અને રિલીઝ ડેટમાં અનેક વખત ફેરફારો થયા કરે છે. ફિલ્મ ગત એપ્રિલમાં રિલીઝ થવાની હતી પરંતુ કેજીએફ ટૂ સાથે ક્લેશના કારણે તેને પાછી ઠેલવામાં આવી હતી.



https://static.gujaratsamachar.com/content_image/content_image_f7f043e6-f4b6-441e-8714-5e3d9b79147f.jpeg

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ