નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર,2022,મંગળવાર
માતા પિતાની મરજી વિરુધ લગ્ન કરતા પ્રેમી જોડા આર્ય સમાજ લગ્ન કરવાનું પસંદ કરે છે. એવું માનવામાં આવે છે કે આર્ય સમાજ મંદિરમાં સાવ સરળતાથી લગ્ન થઇ જાય છે. વૈદિક રીતિ-રિવાજથી લગ્ન કરાવવામાં આવે છે એટલું જ નહી લગ્ન પછી સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ મેરેજ સર્ટિફિકેટ લગ્ન સાબીત કરવા માટે પુરતું નથી એવી ટીપ્પણી અગાઉ અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા કરવામાં આવી હતી.આ ચુકાદામાં હાઇકોર્ટે આર્યસમાજ મંદિરમાં થતા લગ્નને સ્પેશિયલ મેરેજ એકટની શરતો લાગુ કરવાની વાત કરી હતી.
સર્વોચ્ચ અદાલતે પણ ગત જુન મહિનામાં આર્ય સમાજમાં થતા લગ્નના પ્રમાણપત્ર જાહેર કરવાનો કોઇ અધિકાર નહી હોવાનું જણાવ્યું હતું. આ અંગેનો મામલો સુપ્રિમકોર્ટમાં જતા અલ્હાબાદ કોર્ટે પણ તપાસ કરવાનું નકકી કર્યુ છે. કારણ કે મધ્ય ભારત આર્ય પ્રતિનિધિ સભાએ મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રિમકોર્ટમાં પડકાર આપ્યો હતો. સુપ્રિમકોર્ટ આ મામલે નોટિસ બહાર પાડીને હાઇકોર્ટના આદેશ પર રોક લગાવી હતી.
સાથે જ સુપ્રિમકોર્ટે કહયું હતું કે આર્ય સમાજ વિવાહ પ્રમાણપત્ર બહાર પાડવાનો કોઇ અધિકાર નથી. આથી એવો સવાલ ઉભો થાય છે કે આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરવા માટે કયા નિયમોનું પાલન કરવું જરુરી તે જાણવું મહત્વનું છે. આર્ય સમાજ મંદિરમાં થયેલા લગ્ન આર્ય સમાજ વેલિડેશન એકટ 1937 અને હિંદુ મેરેજ એકટ 1955 હેઠળ માન્યતા આપવામાં આવે છે. હિંદુ, બૌધ્ધ, જૈન અને શીખ આ મંદિરમાં લગ્ન કરી શકે છે.
આઝાદી પહેલા અંગ્રેજોએ 1937માં આર્ય મેરેજ વેલિડેશન એકટ પસાર કર્યો હતો
લગ્ન કરનાર બંને હિંદુ હોયતો હિંદુ મેરેજ એકટ અને અલગ ધર્મના હોયતો સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ માન્યતા આપવામાં આવે છે. આ સર્ટિફિકેટને લઇને લગ્ન કાનુન હેઠળ સંબંધિત વિભાગમાં નોંધણી કરાવવી પડે છે. આઝાદી પહેલા અંગ્રેજોએ 1937માં આર્ય મેરેજ વેલિડેશન એકટ પસાર કર્યો હતો. આ એકટમાં લખ્યું હતું કે બીજી જાતિમાં લગ્ન કરવાની છુટ ના મળતી હોવાથી ઘણા કપલ્સે આર્ય સમાજ અપનાવ્યો. અહીંયા જાતિને લઇને કોઇ જ મતભેદ નથી. છોકરા-છોકરીઓ અલગ જાતિના છે તેમ છતાં તેને માન્યતા મળે છે.
આવા લગ્નને માન્યતા આપવા માટે જ આર્ય મેરેજ વેલિડેશન એકટ લાવવામાં આવ્યો છે. આ એકટમાં લખવામાં આવ્યું છે કે હિંદુ ઉપરાંત કોઇ પણ ધર્મના હશે તો પણ તેના લગ્ન અમાન્ય ગણાશે નહી. અલગ અલગ જાતિના હોવાથી પરિવારના લોકો રાજી નથી હોતા તેવા જોડકા આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરે છે. અલ્હાબાદ હાઇકોર્ટની ટીપ્પણીમાં આર્યસમાજ દ્વારા મોટા પાયે આપવામાં આવતા લગ્ન પ્રમાણપત્રોની કાયદેસરતાને માનવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે. આથી એ સ્પષ્ટ થયું છે કે જો લગ્નને કાયદેસરની માન્યતા આપવી હોયતો તેનું રજીસ્ટ્રેશન કરાવવું પણ એટલું જ જરુરી છે.
https://ift.tt/nEiCPwt from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nbZjkRh
0 ટિપ્પણીઓ