ટ્રેનના એસી કોચમાં સાપ હોવાના મેસેજથી પ્રવાસીઓમાં ગભરાટ

વડોદરા, તા.24 વડોદરા રેલવે સ્ટેશન પર આવેલી એક ટ્રેનના એસી કોચમાં સાપ છે તેવા સંદેશાના પગલે ટ્રેનને રોકીને ચેકિંગ હાથ ધરાતા પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો જો કે તપાસ બાદ ટ્રેનમાં સાપ નહી હોવાનું જણાતા ટ્રેનને રવાના કરાઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે ગાંધીઘામથી બેંગ્લોર તરફ જતી ટ્રેનના એસી કોચમાં સાપ છે તેવો મેસેજ રેલવે તંત્રને મળ્યો હતો જેના પગલે વનવિભાગને જાણ કરતા સ્ટાફ રેલવે સ્ટેશન પર પહોંચી ગયો હતો. બપોરે સવા ચાર વાગ્યાની આસપાસ ટ્રેન આવતાં ટ્રેનના એસી કોચમાંથી પ્રવાસીઓને બહાર કાઢી આખા કોચમાં તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ સાપનો પત્તો મળ્યો ન હતો.

ટ્રેનના એક જ કોચમાંથી પ્રવાસીઓને બહાર કઢાતા પ્રવાસીઓમાં કુતૂહલ વ્યાપ્યું હતું જ્યારે આ કોચમાં મુસાફરી કરતા પ્રવાસીઓમાં ગભરાટ પણ ફેલાયો હતો.


https://ift.tt/NUJVTDM
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/T1xozIM
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ