અમદાવાદ,શનિવાર
ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રામાં ખાડીયા પાસેથી પસાર થતા સમયે ડી જે મ્યુઝીકના ઉંચા અવાજ ભડકી ગયેલા નર હાથી અને બે માદા હાથી બેકાબુ બનતા અફરાતફરી મચી ગઇ હતી. બાદમાં હાથીઓને રથયાત્રાથી અલગ કરીને મંદિર પાસે આવેલા હાથીખાના પરિસરમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં હાથીનો મહાવત તે નિર્દોષ હાથીને માનવતા નેવે મુકીને ફટકા મારતો જોવા મળી રહ્યો હતો. આ સમગ્ર વિડીયો વાયરલ થવા મામલે ગાયકવાડ હવેલી પોલીસ જગન્નાથજી મંદિરના સંચાલકો પાસેથી વિડીયો અંગે ખરાઇ કરવા માટે રિપોર્ટ માંગ્યો છે. સાથેસાથે ખાનગીમાં તપાસ શરૂ કરાવી છે.
https://ift.tt/fRkLKmW
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/qPuE9ze
via IFTTT
0 ટિપ્પણીઓ