અમદાવાદ,ગુરૂવાર
શહેરના નવરંગપુરામાં આવેલી સોમ-લલીત સ્કૂલમાં ગુરૂવારે રિસેષ દરમિયાન ચોથા માળેથી ધોરણ ૧૦માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ કુદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાથી તબીબોએ સઘન સારવાર શરૂ કરી છે. વિદ્યાર્થિનીએ ક્યા કારણસર આ પગલુ ભર્યુ? તે અંગે નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે હજુસુધી કોઇ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. પોલીસ સગીરાના સોશિયલ મિડીયા એકાઉન્ટ અને તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થિઓની પુછપરછ કરશે.
https://ift.tt/yz2c3nE
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/68TQ7aJ
via IFTTT
0 ટિપ્પણીઓ