Breaking News

સમાચાર
લોડ થઈ રહ્યું છે...

વાઘોડિયામાં ૩૨ વર્ષના કોન્સ્ટેબલનો ઓઢણીથી ગળા ફાંસો ખાઇ આપઘાત

વડોદરા, તા.6 વાઘોડિયામાં ભાડાના મકાનમાં રહેતા વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલે આજે પંખા પર ઓઢણીથી ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરતાં જિલ્લા પોલીસમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયામાં માડોધરરોડ પર આવેલી રણછોડધામ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા કોન્સ્ટેબલ પ્રકાશ શંકરભાઇ રાઠવા (ઉ.વ.૩૨) સવારે ઘેર હતો અને પત્ની સવારે આઠ વાગે નર્સની નોકરી પર ગઇ  હતી. બપોરે બે વાગે પત્ની ઘેર પરત ફરી ત્યારે ઘર બંધ હતું જેથી દરવાજો ખખડાવવા છતાં પ્રકાશે ઘર ખોલ્યું ન હતું બાદમાં બારીમાંથી જોયું તો પ્રકાશ પંખા પર લટકતી હાલતમાં જણાતા પત્નીએ બૂમાબૂમ કરી હતી.


https://ift.tt/M30oFZJ
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/N9UmVEA
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ