
ગુજરાતમાં પ્રધાનમંત્રી વનબંધુ કલ્યાણ યોજના હેઠળ પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ મેળવતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2022-23 થી 2024-25 દરમિયાન પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ મેળવનારાઓની સરખામણીમાં પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ લાભાર્થીઓમાં 48 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
આદિજાતિ બાબતોના મંત્રાલયના તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં 6.35 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ મળી હતી, જ્યારે તે જ સમયગાળા દરમિયાન ફક્ત 3.28 લાખ વિદ્યાર્થીઓએ પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ મેળવ્યો હતો.
https://ift.tt/PvCkLYH
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/wFyq6N2
via IFTTT
0 ટિપ્પણીઓ