
નવીદિલ્હી, 12 ડિસેમ્બર 2022, સોમવાર
કેન્દ્રીય બજેટ 2023-24 ના આગામી બજેટમાં સરકાર કરદાતાઓને આવકવેરામાં મોટી ભેટ આપી શકે છે. આગામી તા. 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ રજૂ થનારા કેન્દ્રીય સામાન્ય બજેટમાં આકર્ષક બનાવવા મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવી શકે છે. આવકવેરાની નવી વ્યવસ્થામાં કરમુક્તિની હાલની મર્યાદા 2.50 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ સરકાર તેની લોકપ્રિયતા વધારવા માટે મોટા ફેરફારો કરવાનું વિચારી રહી છે.
5 લાખ સુધીની આવક પર ટેક્સ નહીં
હાલમાં કરદાતાઓએ 2.50 લાખની વાર્ષિક કરપાત્ર આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. તેથી 2.50 થી 5 લાખ રૂપિયાના સ્લેબમાં કરદાતાઓએ 5% ટેક્સ ચૂકવવો પડશે. 1 ફેબ્રુઆરી, 2023ના રોજ રજૂ થનારા બજેટમાં આવકવેરાની નવી પ્રણાલી હેઠળ કર મુક્તિ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. જેથી નવી ટેક્સ સિસ્ટમને કરદાતાઓમાં લોકપ્રિય બનાવી શકાય. જો કર મુક્તિ મર્યાદા વધારીને રૂ. 5 લાખ કરવામાં આવે છે, તો તે કરદાતાઓ પર કરનો બોજ ઘટાડવામાં મદદ કરશે, જેથી તેઓ વધુ નાણાંનું રોકાણ કરી શકે.
નવી ટેક્સ સિસ્ટમમાં છૂટની જોગવાઈ નથી
ફેબ્રુઆરી 2020 માં રજૂ કરેલ બજેટ વખતે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નવી આવકવેરા અમલીકરણની જાહેરાત કરી હતી. પરંતુ નવી કર વ્યવસ્થા હેઠળ કરદાતાઓને કલમ 80C અને 80D હેઠળ કર મુક્તિનો લાભ મળી શકશે નહી. આ ટેક્સ સિસ્ટમમાં કેટલીક કપાત બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે કરદાતાઓ નવી ટેક્સ વ્યવસ્થાને સ્વીકારતાં ખચકાટ અનુભવી રહ્યા છે. કુલ કરદાતાઓમાંથી માત્ર 10 થી 12 ટકા કરદાતાઓએ નવી સિસ્ટમનો વિકલ્પ પસંદ કર્યો છે. કારણ કે આમાં વધુ ટેક્સ ભરવો પડે છે અને ટેક્સમાં છૂટનો લાભ પણ મળતો નથી.
નવી આવકવેરા પ્રદ્ધતિના ફાયદા
આવકવેરા નિષ્ણાતોના અભિપ્રાય મુજબ જૂની અને નવી ટેક્સ વ્યવસ્થામાં જો ટેક્સનો બોજ સરખો થઈ જતો હોય તો કરદાતાઓ નવો વિકલ્પ અપનાવી શકે. કારણ કે આમા રિટર્ન ફાઈલ કરવામાં સરળતા રહેશે. રાજસ્વ સચિવ તરૂન બજાજે કહ્યું કે નવી આવકવેરા વ્યવસ્થામાં 2.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. પરંતુ જૂની ટેક્સ વ્યવસ્થામાં 7.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને ટેક્સ ભરવામાંથી છટકી જાય છે. અને મોટાભાગના લોકો આ કેટેગરીમાં આવે છે.
સરકાર નવી સિસ્ટમને આકર્ષક બનાવવા માટે વિચાર કરી રહી છે
આવકવેરાની નવી સિસ્ટમમાં ટેક્સના દરો ભલે ઓછા હોય, પરંતુ હોમ લોનની મુદ્દલ અથવા વ્યાજ અથવા બચત પર કર મુક્તિ સિવાય સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ ન મળવાને કારણે નવી સિસ્ટમ કરદાતાઓને પસંદ નહી થાય. જેના કારણે સરકાર નવી સિસ્ટમને આકર્ષક બનાવવા માટે વિચાર કરી રહી છે. આવકવેરા સ્લેબની જૂની સિસ્ટમમાં કરદાતાઓને અનેક પ્રકારની કર મુક્તિના લાભ લઈ શકતાં હતા. આવકવેરાની જૂની સિસ્ટમમાં કલમ 80C હેઠળ તમે વીમા ELSS,પ્રોવિડન્ટ ફંડ PPF અને બાળકોની ટ્યુશન ફી સાથે હોમ લોનની મૂળ રકમ પર કર મુક્તિ મેળવી શકે છે. 2 લાખ રૂપિયા સુધીની હોમ લોનના વ્યાજ પર ટેક્સ છૂટની જોગવાઈ પણ છે. 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ ઉપલબ્ધ છે જે નવી ટેક્સ સિસ્ટમમાં ઉપલબ્ધ નથી.
https://ift.tt/zhkEs6m from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/WfBUlFC
0 ટિપ્પણીઓ