નવી દિલ્હી, ૩ જાન્યુઆરી,૨૦૨૩,મંગળવાર
નવા વર્ષ 2023નું આગમન થઇ રહયું હતું ત્યારે દિલ્હીમાં બનેલી એક અકસ્માતની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર જગાવી છે. તે કંઝાવલા કાંડ તરીકે જાણીતી બની છે. કંઝાવલા એ દિલ્હીના સુલતાનપુરી વિસ્તારનો એક ઇલાકો છે.
અહીં ૨૦ વર્ષની યુવતી ટુ વ્હીલર લઇને જતી હતી ત્યારે ધસમસતી કારે તેની એવી ફંગોળી કે મૃત શરીરના ટુકડા રસ્તામાં પડયા હતા અને શરીરનો મોટો ભાગ કાર સાથે ચિપકી ગયો હતો, નવાઇની વાત તો એ હતી કે કારચાલક એ ૪ કિમી સુધી યુવતીને ઢસેડતા કમકમાટીભર્યુ મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની તે રોડ અને વિસ્તાર છેલ્લા ૩ વર્ષથી અંધારામાં જીવે છે. કંઝાવલામાં રાત્રે રોડ, વાહનો અને દુકાનોમાં ચાલતી લાઇટસનો જ સહારો હોય છે. દુકાનો બંધ થાય એટલે વિસ્તાર અંધારામાં ફેરવાઇ જાય છે.
સ્ટ્રીટ લાઇટસનું માળખું બંધ હાલતમાં છે અને વીજળી થાંભલાઓ શોેભાના ગાંઠીયા સમાન છે. ઘટના બની તે સ્થળે સીસીટીવી ની તો કલ્પના કરવી જ મુશ્કેલ છે. આજુબાજુનો રસ્તો પણ ઉબડખાબડ રસ્તા અને ઠેર ઠેર ખાડા જોવા મળે છે. જયાં દુર્ઘટના બની તે કંઝાવાલા રોડ ઉપર એક લેનમાંથી બે કાર અને એક બાઇક સરળતાથી નિકળી શકે છે.
આથી પકડાયેલા આરોપીઓએ સડક સાંકળી હોવાથી આ ઘટના બની એવી દલીલ કરી તે સાચી જણાતી નથી. થોડાક આગળ જઇએ ત્યારે કેટલાક થાંભલાઓ પરની પીળી લાઇટસ ચાલું દેખાય છે. ત્યાર પછી સીસી ટીવી કેમેરા જોવા મળે છે.
બેગમપુર ચોક થી આ વિસ્તાર ફરી એક કિલોમીટર સુધી રાત્રે અંધકારમય જોવા મળે છે. આમ તો આ વિસ્તાર દિલ્હી મનપામાં આવે છે પરંતુ તેનો વિકાસ હજુ થયો નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા ૩ વર્ષથી સ્ટ્રીટ લાઇટ ચાલું નહી હોવીએ ગંભીર બાબત છે.
https://ift.tt/Sr0fNLJ from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/NfHIE26
0 ટિપ્પણીઓ