ભુજમાં જમીન નથી..! ૧૦૦ ૫થારીની ક્રિટીકલ હોસ્પિટલ ગાંધીધામ ખસેડાશે

ભુજ,રવિવાર

આયુષ્માન ભારત હેલૃથ ઈન્ફ્રાસ્ટકચર મિશન અંતર્ગત કચ્છ જિલ્લાના ભુજ ખાતે ક્રિટીકલ કેર બ્લોક માટે ૩૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ પ્રકારની હોસ્પીટલ તૈયાર કરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને સોંપવાની વાત હતી અને તેનું સંચાલન રાજય સરકાર કરશે તેવું નક્કી કરાયું હતુ. આ સંકુલના નિર્માણ માટે ભુજમાં સરકારી જમીનની પસંદગીની પ્રક્રિયા પણ શરૃ કરાઈ હતી. તે વચ્ચે એવું જાણવા મળે છે કે, ક્રિટીકલ કેર માટે જમીન મળતી ન હોવાથી ભુજને બદલે આ હોસ્પિટલને ગાંધીધામ ખાતે ખસેડવામાં આવનાર છે. ભુજ એ કચ્છ જિલ્લાનું પાટનગર છે ઉપરાંત ભુજ તાલુકામાં બોર્ડર એરિયા આવેલો હોવાથી ક્રિટીકલ કેર સેન્ટર જરૃરી છે પરંતુ જમીન મળતી ન હોવાનું કારણ આગળ ધરીને ગાંધીધામ ખસેડવાનો નિર્ણય યોગ્ય નાથી. એટલું જ નહિં, ભુજની ભાગોળે જુની ટીબી હોસ્પીટલ આવેલી છે ત્યાં પણ આ ક્રિટીકલ સેન્ટર ચાલું કરી શકાય તેમ છે.

ભુજમાં ૧૦૦ પાથારીની ક્રિટીકલ હોસ્પિટલ મંજૂર થયેલી છે તો તેને ભુજમાં જ ચાલુ કરવામાં આવે, ગાંધીધામ ખસેડવાથી ભુજને અન્યાય થશે. વધુમાં, ભુજ તાલુકામાં બોર્ડર એરિયા આવેલું છે. છેવાડાના વિસ્તારમાં ક્રિટીકલ કેરને લગતી આરોગ્યની સુવિાધાનો અભાવ છે. ભુજના છેવાડાના બન્ની પચ્છમ સહિતના વિસ્તારોના દર્દીઓમાટે સારવાર લેવા આવવા માટે ભુજ એ નજીકનું માથક છે. બોર્ડર અને સંવેદનશીલ વિસ્તારને જોતા દર્દીઓને તાત્કાલીક સારવાર માટે આ પ્રકારની હોસ્પિટલ ખુબ જરૃરી છે. ત્યારે, ભુજમાં ૧૦૦ પાથારીની ક્રિટીકલ હોસ્પિટલ મંજૂર થયેલી છે તેને ગાંધીધામને બદલે ભુજમાં જ શરૃ કરાય તેવી રજુઆત છે.

ભુજમાં જમીન ન મળવાનું કારણ જે આગળ ધરવામાં આવ્યું છે તે યોગ્ય નાથી કારણ કે, ભુજ મધ્યે જુની જ્યુબિલી હોસ્પિટલ છે, જેમાં પણ  આ વ્યવસૃથા થઈ શકે તેમ છે. ઉપરાંત ભુજ તાલુકાના સેડાતા નજીક ટી.બી. હોસ્પિટલ સેનેટોરીયમ છે તે જગ્યા પણ વિશાળ છે અને તેમાં પણ આ હોસ્પિટલ થઈ શકે તેમ છે. ગમે તે કારણોસર સૃથાનિક સત્તાિધકારીઓ આ હકીકતને ધ્યાને લીધી નાથી આૃથવા તો ધ્યાન પર આવી નાથી. ત્યારે, આ સંજોગોમાં હોસ્પિટલનું સૃથળ બદલવાનો નિર્ણય યોગ્ય અને ફેરવિચારણા માંગી લે તેવો છે. 

જો આ બાબતે ચૂંટાયેલા પ્રતિનિધીઓ અંગત રસ નહિં દાખવે તો ભુજને થતા આ અન્યાયાથી કોઈ બચાવી શકે તેમ નાથી. વળી, લોકોએ પણ જાગૃતિ દાખવીને આ બાબતે ઉચ્ચ સ્તરે રજુઆત કરવી જોઈએ. વર્તમાનમાં તો ભુજ ડેવલોપમેન્ટ કાઉન્સિલ દ્વારા રજુઆત કરાઈ છે.

ક્રિટીકલ કેર બ્લોકમાં કઈ કઈ સુવિધા હશે

ક્રિટીકલ  કેર બ્લોકમાં ૧૦૦ બેડ સાથેનું સંકુલ નિર્માણ કરવાની વાત છે. જેમાં તમામ સાધન સામગ્રી, દવા, નિદાન માટેના સાધનો, એનેસ્થેટીક, એમઆરઆઈ, સિટી સ્કેન, લીકવીડ ઓક્સિજન, સ્ટોર, બેકઅપ એરિયા, દર્દીઓના સગા સંબંધીઓને રોકાવાની વ્યવસ્થા તેમજ ઈન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી પણ શરૃ કરાશે તેવી જાહેરાત કરાઈ હતી.



https://ift.tt/XwjJWSo

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ