Vadodara News : વડોદરા અને પાદરાને જોડતા ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગંભીર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા છે. આ કરુણ ઘટના બાદ રાજ્ય સરકારે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ દુર્ઘટનામાં ખાનગી કંપનીમાં સિક્યોરિટી તરીકે નોકરી કરતાં બોરસદના દહેવણ ગામના 45 વર્ષીય નરેન્દ્રસિંહ પરમારનું નિધન થયું છે. દુર્ઘટનામાં નરેન્દ્રસિંહને આંખની ઉપરના ભાગે ઈજા થતાં એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. નરેન્દ્રસિંહના મોતને લઈને પરિવારે હોસ્પિટલ પર આરોપ લગાવ્યા હતા કે, 'નરેન્દ્રસિંહને જ્યુસ આપ્યા બાદ મોત થયું છે.'
https://ift.tt/Nwc8b5Z
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/sM15tz3
via IFTTT
0 ટિપ્પણીઓ