Rakshit Chaurasia Hit and Run Case: વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં થયેલા અકસ્માત કેસના આરોપી રક્ષિત ચૌરસિયાના જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે. 13 માર્ચ 2025ના રોજ નશામાં ચૂર રક્ષિત ચૌરસિયાએ પુરપાટ ઝડપે કાર દોડાવી હતી. આમ્રપાલીમાં રક્ષિતે 8 લોકોને કારની ટક્કરે ઉડાવી દીધા હતા. જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જ્યારે તેમના પતિ પૂરવ પટેલ સહિત અન્ય 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ કેસમાં આરોપી છેલ્લા 9 મહિના વડોદરા સેન્ટ્રલ જેલની હવા ખાઈ રહ્યો હતો, આજે ગુજરાત હાઈકોર્ટે નબીરા રક્ષિતના જામીન મંજૂર ર્ક્યા છે.
વડોદરા સેશન્સ કોર્ટ જામીન ના મજૂર કર્યા હતા
https://ift.tt/jWh0zcN
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/8s5fA4O
via IFTTT
0 ટિપ્પણીઓ