રિતેશ દેશમુખની આ મરાઠી ફિલ્મમાં જોવા મળશે સલમાન ખાન, અભિનેતાનું પાત્ર હશે ખાસ


- સલમાન ખાનનો આભાર વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી : રિતેશ 

મુંબઈ, તા. 12 જુલાઈ 2022, મંગળવાર

રિતેશ દેશમુખ પોતાની મરાઠી ફિલ્મ 'વેદ'થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરવા માટે તૈયાર છે. તેણે આ અંગે જાહેરાત વર્ષ 2021માં કરી હતી. આ ફિલ્મમાં રિતેશ સિવાય પોતાની પત્ની અને અભિનેત્રી જેનેલિયા દેશમુખ, જિયા શંકર, અશોક સરાફ અને શુભંકર તાવડે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

હવે 'અપના સપના મની મની' અભિનેતાએ પણ ખુલાસો કર્યો છે કે સલમાન ખાન પણ તેની ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે. દેશમુખે સલમાન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાના દિગ્દર્શકની શરૂઆતના સેટ પરથી તેમની તસવીરો સોશિયલ મીડિયા હેન્ડલ પર કરી હતી.

- પ્રથમ દિગ્દર્શક ફિલ્મ 'વેદ'નું શૂટિંગ પૂર્ણ

રિતેશે સાથે રહેવા બદલ સલમાન ખાનનો આભાર માન્યો હતો અને તસવીર શેર લખ્યું હતું કે, 'અમે અષાઢી એકાદશીની ઉજવણી કરીએ છીએ, હું તમને તમારા જીવનમાં સુખ, પ્રેમ અને સમૃદ્ધિની કામના કરું છું. આ શુભ દિવસે મને કહેતા રોમાંચિત થાય છે કે તમારા આશીર્વાદથી મેં મારી પહેલી મરાઠી દિગ્દર્શિત 'વેદ'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ માટે પડકારો હતા પરંતુ જ્યારે તમે એવા લોકોથી ઘેરાયાલા હોય છે જે તમને આગળનો રસ્તો છે'.

- સલમાન ખાનનો આભાર વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી : રિતેશ 

રિતેશ દેશમુખે વધુમાં કહ્યું હતું કે, એવા જ એક વ્યક્તિ છે મારા પ્રિય સલમાન ભાઈ. તેમને મારા અને જેનેલિયા પ્રત્યે દયા બતાવી છે તેથી તેમનો આભાર વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. તે પહેલા મારી મરાઠી ફિલ્મ 'લાઈ ભારી'નો ભાગ હતા અને હવે તે મારા પ્રથમ દિગ્દર્શિત સાહસ વેદનો એક ભાગ છે લવ યુ ભાઉ.



https://ift.tt/uMW9HCX

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ