નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વાજતે- ગાજતે ગણેશજીને વિદાય


- 'ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા'ના નાદ સાથે

- હજારોની સંખ્યામાં ભક્તો દ્વારા ગણપતી બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આના નારા સાથે વિસર્જન યાત્રા નીકળી 

નડિયાદ : નડિયાદ શહેર સહિત જિલ્લામાં ગણેશ વિસર્જન આન બાન શાનથી ઉજવણી કરાઈ. દસ દિવસના આતિથ્ય માણ્યા બાદ અનંત ચૌદશે શુક્રવારે દુંદાળા દેવ ગણેશજીની મૂતઓનું વાજતે ગાજતે, અબીલ ગુલાલની સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો દ્વારા ગણપતી બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આ ના નારા સાથે વિસર્જન યાત્રા નીકળી હતી. 

નડિયાદ શહેર સહિત જિલ્લામાં ગણેશ મહોત્સવની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગણેશ ભક્તો દ્વારા બાપાની પૂજા અર્ચના તેમજ આરતી કરી છપ્પન ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પર્વના દસ દિવસના અંતે  વાજતે ગાતે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. નડિયાદ શહેરના પૂર્વ વિસ્તારના યુવક મંડળ કોલેજ રોડ પર કેનાલ માં ગણેશ વિસર્જન કર્યું જ્યારે પશ્ચિમ વિસ્તારના યુવક મંડળો પીજ રોડ ની કેનાલના પાણીમાં ગણેશજીની મૂતનું વિસર્જન કર્યું. જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો બિલોદરા શેઢી નદી તેમજ ગામના નજીકના તળાવ કે નહેરના પાણીમાં ગણેશ ભક્તો અશ્રૂભીની આંખે ગણેશ વિસર્જન કર્યું હતું. જિલ્લામાં હજારોની સંખ્યામાં ગણપતિ બાપાની મૂર્તિનું કેનાલ તથા તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.



https://ift.tt/ACfEdXb

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ