વિજય રૂપાણીના નિધનની સત્તાવાર પુષ્ટિ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે આપી માહિતી


Vijay Rupani Death in Ahmedabad plane crash : અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનાએ દેશભરને હચમચાવી દીધો છે. આ ગોઝારી ઘટનામાં લગભગ 200થી વધુ લોકોના મૃતદેહ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ નિધન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા, જેની સત્તાવાર પુષ્ટિ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કરી છે. વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય વર્તુળમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


https://ift.tt/91L7lmt
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/tQOXxZS
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ