દેશમાં કાલા અઝાર રોગમાં ધરખમ ઘટાડો, 2023 સુધીમાં રોગચાળાને નાબુદ કરવાનો માંડવિયાનો દાવો

નવી દિલ્હી, તા.04 જાન્યુઆરી-2023, બુધવાર

દેશમાં કાલા અઝાર અથવા કાલા જ્વાર રોગના કેસોમાં 2007થી 98.7 ટકાનો ઘટાડો થયો છે. આ રોગના વર્ષ 2007માં 44,533 કેસો હતા, જ્યારે હવે 2022માં 834 કેસ છે, તેમ કેન્દ્રી આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે.

કેન્દ્રીય આરોગ્યમંત્રીએ જણાવ્યું કે, ભારત 2023 સુધીમાં આ રોગને નેસ્તનાબુદ કરવા માટે પ્રતિબદ્ધ છે. માંડવિયાએ બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં કાલા અજાર રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરવા ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

બેઠકમાં તેમણે કહ્યું કે, આ રોગના 632 સ્થાનિક બ્લોક્સ (99.8%)ને પહેલાથી જ નાબુદ કરવાનું લક્ષ્ય (પ્રતિ 10 હજાર કેસ પર એકથી ઓછા કેસ) હાંસલ કરી લેવાયું છે. ઝારખંડના પાકુડ જિલ્લામાં આ રોગના કેસનો એક બ્લોક લિટ્ટીપાડામાં છે. લિટ્ટીપાડામાં આ રોગ 10 હજારની વસ્તી પર સરેરાશ 1.23 કેસો છે.

તેમણે જણાવ્યું કે, અમે ઝારખંડમાં આ રોગચાળાની નાબૂદીનું લક્ષ્ય હાંસલ કરવા માટે રાજ્ય સરકારો સહિતના લોકો સાથે મળીને કામ કરી રહ્યા છે. કાલા અઝાર રોગ મલેરિયા પછીનો બીજો સૌથી જીવલેણ પરોપજીવી માનવામાં આવે છે. માંડવિયાએ વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર સક્રિય કેસોને જાણવાનો, તેના પર ધ્યાન કેન્દ્રીત કરવાનો, સારવાર અને ડાયગ્નોસ્ટિક કીટ, દવાઓ, સ્પ્રે વગેરેની સપ્લાયમાં મદદ કરી રહી છે.



https://ift.tt/g2894UX from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ufS9W24

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ