વારાણસી, ૯ જાન્યુઆરી,૨૦૨૨,સોમવાર
દરિયામાં તો વિશાળકાય ક્રુઝ જોવા મળે છે પરંતુ ભારતમાં દુનિયાનું સૌથી મોટુ રિવર ક્રુઝ તૈયાર કરવામાં આવ્યું છે. આ રિવર ક્રુઝ વારાણસીથી મણીપુર રાજયના દિબુ્રગઢ સુધીની રોમાંચક સફર કરશે.૧૩ જાન્યુઆરીના રોજ એમ વી ગંગા રિવર ક્રુઝ જળસફરની શરુઆત કરી રહયું છે. ૨૭ નદીઓનો પ્રવાહ પાર કરીને ૩૨૦૦ કિમીનું અંતર કાપીને ૧માર્ચના રોજ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચશે. આ દરમિયાન ગંગા વિલાસ ક્રુઝ પટણા ,સાહિબગંજ, કોલકાતા,ઢાકા અને ગૌવાહાટી જેવા ૫૦ જેટલા પર્યટક સ્થળોએથી પસાર થશે.
વારાણસીમાં ગંગા નદી પર થતી પ્રખ્યાત ગંગા આરતીની સાથે જ ક્રુઝ સફરની શરુઆત કરશે. આ સફર દરમિયાન પ્રસિધ્ધ બૌધ્ધ તીર્થ સ્થળ સારનાથ અને તાંત્રિક વિધા માટે જાણીતા માયોંગ અને દુનિયાના સૌથી મોટા નદી દ્વીપ માજુલીની પણ મુલાકાત લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર ક્રુઝની પ્રથમ સફરમાં સ્વિટ્ર્ઝલેન્ડના ૩૨ સહેલાણીઓ જોડાશે. આ સાથે જ ભારત નદીઓ દ્વારા થતા ક્રુઝ સફરની દુનિયાના નકશામાં સામેલ થઇ જશે
એટલું જ નહી નગી પર્યટનની શકયતાઓ વધી જશે. એમ વી ગંગા એ કોઇ સામાન્ય ક્રુઝ નથી તેમાં રહેવા અને જમવાની અધતન સુવિધાઓ છે. જાણે કે જળ મહેલમાં રહેતા હોય તેવો અનુભવ થાય છે. .હાલમાં વારાણસી અને કોલકત્તા વચ્ચે આઠ રિવર ક્રુઝ સંચાલિત થાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય જળમાર્ગ (બ્રહ્નપુત્ર નદી) પર ક્રુઝનું આવાગમન ચાલું છે.
https://ift.tt/dSOCIb0 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/OdszV87
0 ટિપ્પણીઓ