ઉચ્ચ શિક્ષણની ડીગ્રી ધરાવતા ૪૬ યુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી

અમદાવાદ

પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં શુક્રવારે દીક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નારાયણ સભા ગૃહમાં મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ૪૬ યુવાનોને પાર્ષદી દીક્ષા આપવામા આવી હતી. દીક્ષા લેનાર યુવાનો આઇઆઇએમ  અને વિદેશીની યુનિવર્સિટીની ડીગ્રી ધરાવે છે અને ૪૬ યુવકો પૈકી ૧૦ યુવકો અમેરિકા અને આફ્રિકાના છે. 

નગરમાં ઉજવાયેલા ભવ્ય દીક્ષા સમારોહમાં દીક્ષાર્થી યુવકોના પરિવારજનો સહિત હજારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત શુક્રવારે દીક્ષા ગ્રહણ  દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે નારાયણ સભા ખાતે બીએસપીએસના વડા મહંત સ્વામી મહારાજના હસ્તે ૪૬ યુવકોને પાર્ષદી દીક્ષા આપવામાં આવી હતી.પોતાની ઉચ્ચ કારર્કીદી અને વૈભવી જીવનનો ત્યાગ કરનાર આ યુવાનોમાં  ચાર અનુસ્તાતક, ૨૨ સ્નાતક, ૧૮ એન્જીનીયર, ૧ શિક્ષક અને એક ફાર્માસિસ્ટનો સમાવેશ થાય છે. આઇઆઇએમ ઉદેપુરમાં સ્નાતકનો અભ્યાસ કરનાર હાર્દિક મિસ્ત્રીએ દીક્ષા ગ્રહણ કર્યા બાદ  જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે બીજાના ભલામાં આપણું ભલુ અને નિસ્વાર્થ ભાવે સેવા કરવી તે બાબતને અનુસરીને મારી દીક્ષા સમાજ સેવા અનેે આધ્યાત્મિકતા તરફ જવા માટે છે. તો ઉદેપુરથી આવેલા દીક્ષાર્થી અભિષેકના માતા રતનબેને જણાવ્યું કે પ્રમુખસ્વામી અને મહંત સ્વામી જેવા  સમર્થ ગુરૂ મળ્યા છે.ત્યારે અમારો દીકરો ભગવાનના સારા માર્ગે વરે છે. જેથી અમે ખુબ ખુશ છીએ. તો દીક્ષાર્થી ઉત્તમભાઇના પરિવારજનોએ કહ્યું કે અમારા ઉત્તમ સાધુત્વ સ્વીકારીને પરિવારનું ગૌરવ વધાર્યું છે.આ પ્રસંગે મહંત સ્વામી મહારાજે આર્શીવચન આપતા કહ્યું કે આજે યુવાનો ત્યાગાશ્રમમાં પ્રવેશે છે તે  આનંદની વાત છે. આ માત્ર યોગીબાપા અને પ્રમુખસ્વામી મહારાજના આર્શીવાદથી જ શક્ય બને છે.ભણેલા ગણેલા યુવકો  દીક્ષા ત્યારે સમાજનું આધ્યાત્મિક ભવિષ્ય ઉજ્જવળ છે.



https://ift.tt/bPT8MpA

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ