SRH vs MI: IPLની પહેલગામના મૃતકોને શ્રધ્ધાંજલી, કાળી પટ્ટી પહેરી રમશે મેચ

પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ IPL મેચ દરમિયાન કાળી પટ્ટી પહેરશે. મેચમાં કોઈ ચીયરલીડર્સ નહીં હોય અને કોઈ ફટાકડા નહીં ફોડવામાં આવે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા.આ ઘટનાથી પ્રભાવિત લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ટીમો એક મિનિટનું મૌન પણ પાળશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના એક સૂત્રએ જણાવ્યું હતું કે બંને ટીમોના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને રમશે અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓની યાદમાં એક મિનિટનું મૌન પાળશે. તેમણે કહ્યું- મુંબઈ ઈન્ડિયન્સ અને હૈદરાબાદ વચ્ચેની મેચ દરમિયાન કોઈ ચીયરલીડર્સ નહીં હોય. કોઈ ફટાકડા ફોડવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી સહિત ઘણા મહાન ક્રિકેટરોએ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

દક્ષિણ કાશ્મીરના આ લોકપ્રિય પર્યટન સ્થળ પર મંગળવારે આતંકવાદીઓએ લોકો પર ગોળીબાર કર્યો જેમાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદી જૂથનો ભાગ, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી. આ હુમલાની આખા વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. 

2008ના મુંબઈ આતંકવાદી હુમલા પછી ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો તોડી નાખ્યા હતા અને તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ને દુબઈમાં તટસ્થ સ્થળ આપવાની ફરજ પડી હતી.


https://ift.tt/UKwWDts
from SANDESH | RSS https://ift.tt/2cMUk4v
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ