IPL 2025 ની ક્વોલિફાયર 2 મેચ બાદ BCCI એ અય્યર-પંડ્યા સામે મોટી કાર્યવાહી કરી છે, ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સનો ભવ્ય વિજય થયો પરંતુ પંજાબના કેપ્ટન અને મુંબઈના કેપ્ટનને આ એક ભૂલ માટે BCCI એ સજા ફટકારી છે.
ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સનો ભવ્ય વિજય
પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી IPL 2025 ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સનો ભવ્ય વિજય થયો અને પંજાબ કિંગ્સ હવે ફાઇનલમાં RCB સામે ટકરાશે. પરંતુ આ પહેલા બીસીસીઆઈ બંને ટીમોના કેપ્ટન સામે નિયમ ભંગ કરવા બદલ ટકરાઇ ગઈ અને મેચ બાદ, શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યા સામે મોટી કાર્યવાહી કરીને બંનેને દંડ ફટકાર્યો છે .
નિયમોના ઉલ્લંઘન કરવા બદલ દોષી
IPL 2025 ની ક્વોલિફાયર 2 મેચ જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈ કાલે રમાઇ.આ મેચમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે શાનદાર ટક્કર જોવા મળી હતી, પરંતુ આ મેચ પછી, બંને ટીમોના કેપ્ટનો સામે બીસીસીઆઈની મોટી કાર્યવાહી જોવા મળી છે. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર અને મુંબઈ ઇન્ડિયન્સ કેપ્ટન હાર્દિક પંડ્યાને IPL ક્રિકેટ નિયમોના ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે, જેના કારણે તેમને મેચ બાદ ભારે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. IPL 2025 ની ક્વોલિફાયર મેચમાં, પંજાબે મુંબઈને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
ઐયર-પંડ્યા સામે બીસીસીઆઈની મોટી કાર્યવાહી
IPL 2025 ની ક્વોલિફાયર 2 મેચમાં શ્રેયસ અય્યરની વિસ્ફોટક બેટિંગે ચાહકોને ચોક્કસથી ખુશ કર્યા. પરંતુ મેચ બાદ બીસીસીઆઈ શ્રેયસ અને હાર્દિક પંડ્યાથી દેખાઈ.બીસીસીઆઈએ બંને ટીમોના કેપ્ટન સામે ધારિત સમયમાં તેમની ઓવર પૂરી ન કરવા બદલ સજા ફટકારી છે. IPL 2025ની આ સિજનમાં પંજાબ આ કિંગ્સએ બીજીવાર સ્લો ઓવર રેટ નિયમનો ઉલ્લંઘન કર્યો હતો, જેના કારણે શ્રેયસ અય્યરને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને હાર્દિક પંડ્યા ને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બંને ટીમના ઇમ્પેક્ટ પ્લેયર સહિત બાકીના પ્લેઈંગ ઈલેવન સભ્યોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.
https://ift.tt/sbOp1kj
from SANDESH | RSS https://ift.tt/YONz2uh
via IFTTT
0 ટિપ્પણીઓ