અમદાવાદ,બુધવાર
શહેરના સુભાષબ્રીજ આવેલી કલેક્ટર કચેરી સ્થિત સબ રજીસ્ટ્રાર કચેરીમાં જમીનના કેસમાં મોટાપ્રમાણમાં ભ્રષ્ટ્રાચાર કરવામાં આવતો હોવાની ફરિયાદ અનેકવાર કરવામાં આવી છે. તેમ છતાંય, અધિકારીઓની મિલીભગતને કારણે મોટાભાગના કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા બુધવારે રૂપિયા ૭૫ હજારની લાંચનો કેસ નોંધીને બે વકીલ સહિત પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. ફરિયાદી પાસેથી પેઢીનામામાં નામ ચઢાવવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી.જેમાં લાંચની રકમ પૈકીનો હિસ્સો કરાર આધારિત કર્મચારીઓ વચ્ચે નક્કી થયા મુજબ વહેચણી કરાયો હતો. આ અંગે એસીબીએ ચાર આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવીને વધુ પુછપરછ શરૂ કરી છે.
https://ift.tt/sQDKq6h
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LEBy0PT
via IFTTT
0 ટિપ્પણીઓ