IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સ હાર્યા બાદ નિતા અંબાણીને કેટલું થયું નુકસાન? જાણો

IPL ફક્ત એક ટુર્નામેન્ટ નથી પરંતુ તે એક મોટું બિઝનેસ મોડેલ બની ગયું છે. દર વર્ષે ક્રિકેટરો અને તેમની ટીમના માલિકો આ ટુર્નામેન્ટમાંથી કરોડો કમાય છે. મેચ જીતવા પર ટીમને કરોડોનો ફાયદો પણ થાય છે. દરેક માલિક અને તેની ટીમને નફો અને નુકસાન મોટું થાય છે. નીતા અંબાણીની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ પંજાબ સામે હાર્યા બાદ IPL 2025માંથી બહાર થઈ ગઈ છે. ત્યારે હવે મુંબઈ ઈન્ડિયન્સ હાર્યા બાદ નિતા અંબાણીને કેટલું નુકસાન થયું છે તે અંગે જાણો...

મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રોમાંચક મુકાબલો 1 જૂનના રોજ થયો હતો. જેમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પંજાબ કિંગ્સ ફાઈનલમાં પહોંચ્યું હતુ. ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થવાનો છે.

નિતા અંબાણી ટીમ પર કરે છે કરોડોનો ખર્ચ

નીતા અંબાણી ફ્રેન્ચાઈઝી ખરીદવાથી લઈને સારા ખેલાડીઓ ખરીદવા સુધી કરોડો રૂપિયા ખર્ચ કરે છે. ટીમના માલિકો સારા ખેલાડીઓ ખરીદે છે જેથી તેઓ વધુ મેચ જીતી શકે અને મોટો નફો મેળવી શકે.

નીતા અંબાણીને કેટલું નુકસાન થયું?

મુંબઈ ઈન્ડિયન્સ IPL ફાઈનલમાં ન પહોંચવાને કારણે નીતા અંબાણીને મોટું નુકસાન થયું છે. IPL ફાઈનલની ટિકિટની કિંમત અન્ય મેચો કરતા અનેક ગણી વધારે છે. આ સિવાય ફાઈનલ મેચ માટે સ્પોન્સરશિપની રકમ પણ ઘણી વધી જાય છે અને દર્શકોની સંખ્યા પણ ખૂબ જ મજબૂત હોય છે. તેની નીતા અંબાણીને કરોડોનું નુકસાન થયું છે. IPL વિજેતા ટીમ અને રનર-અપ ટીમને મોટી રકમ મળે છે. જે માલિક અને ટીમ વચ્ચે વહેંચાય છે પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ બહાર થવાને કારણે નીતા અંબાણીને અહીં પણ મોટું નુકસાન થયું છે.



https://ift.tt/vdbznLT
from SANDESH | RSS https://ift.tt/adgy3qB
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ