IPLની પહેલી સિઝન માંજ આ ખેલાડી પરથી ઉઠ્યો ભરોસો, થશે ટીમમાંથી બહાર?

આઈપીએલ 2025માં આ વખતે જે ટીમ પર ચાહકોને ભરોસો હતો એ ટીમે આ વર્ષે ખુબજ નિરાશાજનક પ્રદર્શન કરીને તેમના ફેન્સને નારાજ કર્યા છે. વાત થઈ રહી છે લખનૌ સુપર જાયન્ટસની, જેમને આ વર્ષે તેમની યાત્રા પોઈન્ટ ટેબલ પર 7 નંબર પર પૂરી કરી છે. ચર્ચાઓ એવી થઈ રહી છે, કે આટલા નિરાશાજનક પ્રદર્શન પછી ટીમ મેનેજમેન્ટ મોટા ફેરફાર કરવા જઈ રહ્યું છે.

લખનૌ સુપર જાયન્ટસમાં મોટા ફેરફાર?

આઇપીએલની સમાપ્તિને હજી વધારે સમય પણ નથી થયો, ત્યાંતો આવતા વર્ષની તૈયારીઓમાં અમુક ટીમો લાગી પણ ગઈ છે. આ વર્ષે લખનૌ સુપર જાયન્ટસનું પ્રદર્શન ખાસ વખાણવા લાયક રહ્યું નથી. આજ કારણથી હાલ એવી વાતોએ જોર પકડયું છે, કે લખનૌ સુપર જાયન્ટસ ટીમ મેનેજમેન્ટ આવતા વર્ષે યોજાનાર આઇપીએલ 2026માં ખેલાડીઓની પસંદગીને લઈને ખૂબજ મોટા બદલાવ કરી શકે છે, અને  મોટા ખેલાડીઓની પણ ટીમમાંથી હાકલ પટ્ટી થઈ શકે છે.

LSGમાંથી આ ખેલાડી બહાર થઈ શકે છે

લખનૌ સુપર જાયન્ટસના નિરાશાજનક પ્રદર્શન પછી એવા સમાચાર વહેતા થયા છે, કે લખનૌ સુપર જાયન્ટસના માલિક સંજીવ ગોયંકા પોતાની ટીમમાં આવનારી આઈપીએલ 2026માં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં જોડાઈ ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ટીમના મેન્ટોર ઝહિર ખાનનું સ્થાન હવે આવતા વર્ષ માટે સ્થાયી રહેશે કે નહીં એ બાબતે ચર્ચાઓ ચાલી રહી છે. આ વખતે લખનૌ સુપર જાયન્ટસએ 14 મેચ માંથી 6 જીત મેળવીને ટીમની યાત્રા પોઈન્ટ ટેબલ પર 7 નંબર પર પૂરી કરી હતી.

ખરાબ પ્રદર્શની LSGને મોટી અસર થઈ

આ વર્ષે આઈપીએલ 2025માં થયેલ મેગા ઓક્શન પહેલા ઝહિર ખાંનને મેન્ટોરના રૂપમાં પસંદ કરવામાં આવ્યા હતા. ફ્રેન્ચાઇજી તરફથી જે વાતો વહેતી થઈ છે, એ મુજબ ટીમ મેનેજમેન્ટ આ વર્ષે ઝહિર ખાંનના પ્રદર્શનથી ખુશ નથી. મીડિયા રિપોર્ટ અનુસાર આવતા વર્ષે ઝહિર ખાનના સ્થાને કોઈ અન્ય મેન્ટોર પણ ટીમ સાથે જોડાઈ શકે છે. ઝહિર ખાને પંત સાથે મળીને જે રણનીતિ બનાવી હતી, એ તમામ સમિકરણો આ આ વર્ષે ખરા સાબિત થયા નથી, આથી ટીમ મેનેજમેન્ટ હતાશ દેખાઈ રહી છે. 


https://ift.tt/cVE18i3
from SANDESH | RSS https://ift.tt/IaE4B0T
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ