અમદાવાદ, શનિવારં
શહેરના વસ્ત્રાપુરમાં આવેલા હિમાલયા મોલ સ્થિત એક સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા એક સ્પામાં દરોડો પાડીને મસાજની આડમાં ચાલતા દેહવિક્રયના કારોબારને ઝડપીને પોલીસે નોર્થ ઇસ્ટની ત્રણ યુવતીઓને છોડાવીને મુખ્ય સંચાલક સહિત બે વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. મોલના સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે મોલમાં પરિવાર સાથે લોકો ફરવા આવે છે અહીયા મોટો પ્રમાણમાં મસાજ સેન્ટરની આડમાં દેહવિક્રયનો કારોબાર ચાલે છે.
અમદાવાદ ક્રાઇમબ્રાંચના તાબામાં આવતા એન્ટી હ્યુમન ટફિકીંગ યુનિટના સ્ટાફને બાતમી મળી હતી કે હિમાલયા મોલ બીજા માળે આવેલા બુધ્ધા સ્પામાં બહારથી થેરાપીસ્ટના નામે યુવતીઓને લાવીને તેમની પાસે મસાજની આડમાં દેહવિક્રયનો કારોબાર કરવામાં આવે છે. જેના આધારે ડમી ગ્રાહક મોકલીને મેનેજર સની સંતોષ સાથે વાત કરીને ડીલ નક્કી થતા પોલીસે દરોડો પાડતા ત્રણ યુવતીઓ મળી આવી હતી. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સ્પાનો સંચાલક ઇરશાદ સૈયદ (રહે.
https://ift.tt/wI6ozP7
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/GsW4YBz
via IFTTT
0 ટિપ્પણીઓ