CSK vs KKR કોણ જીતશે આજની મેચ? વિરેન્દ્ર સેહવાગે કરી ભવિષ્યવાણી

જેમ જેમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી સીઝન આગળ વધી રહી છે, તેમ તેમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે. પાંચ વખતની ચેમ્પિયન CSK IPL 2025 માં પાંચમાંથી ચાર મેચ હારી ગઈ છે અને પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.હવે, ટીમના સુપરસ્ટાર એમએસ ધોની બાકીની સીઝન માટે ટીમમાં કેપ્ટની કરતા જોવા મળશે. શું થાલા એટલે કે ધોની ચેન્નાઈ સુપર કિંગ્સને જીતના ટ્રેક પર પાછું લાવી શકશે? ચાલો CSK ના ત્રણ સૌથી મોટા પડકારો અને તેમાં ધોનીની ભૂમિકા પર એક નજર કરીએ.

સૌની નજર ધોની પર ટકેલી રહેશે

જો ચેન્નઈએ પોતાનું અભિયાન પાછું ટ્રેક પર લાવવું હોય, તો તેના ખેલાડીઓએ શક્ય તેટલી વહેલી તકે અહીંની પરિસ્થિતિઓમાં સમાયોજિત થવું પડશે. એટલું જ નહીં, તેના સ્પિન બોલરોએ સફળતા મેળવવાનો માર્ગ શોધવો પડશે. બધાની નજર ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોની પર રહેશે. તેણે પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મેચમાં 12 બોલમાં 27 રન બનાવ્યા હતા જેમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગાનો સમાવેશ થતો હતો. 

કેવુ રહેશે આજનું હવામાન

AccuWeather રિપોર્ટ મુજબ, રમત દરમિયાન મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે અને વરસાદની શક્યતા 10 ટકા છે. જોકે, રમત દરમિયાન આકાશ મોટે ભાગે સ્વચ્છ રહેશે. હવામાન પવન ફૂંકાય તેવી શક્યતા છે.

વિરેન્દ્ર સેહવાગે કરી ભવિષ્યવાણી

વિરેન્દ્ર સેહવાગને જ્યારે સ્ટાર સ્પોર્ટ્સના એક સો પર પૂછવામાં આવ્યું કે આજે CSK VS KKR  ની મેચમાં તેમનું ફેવરિટ કોણ છે તો તેમણે KKR નું નામ આપ્યું હતું. ચેન્નાઈ એ રીતે નથી રમી રહી જે રીતે KKR રમી રહી છે. આથી મને એવું લાગે છે કે પલ્લુ KKR તરફ ઝૂકેલું રહેશે. કારણકે તેમની પાસે સારા સ્પિનર છે. ચેન્નાઈની બેટીંગ સારી રહી નથી. જો બેટીંગ સારી રહી તો જ કંઈક થઈ શકે છે બાકી KKR ની જીત નક્કી છે.  વિરેન્દ્ર સેહવાગનું કહેવું છે કે આજે kkr cskની સામે ભારે પડશે. જેનું મોટું કારણ તેમણે કલકત્તાના સ્પીનર્સને ગણાવ્યા હતા. KKR ની ટીમમાં વરુણ ચક્રવર્તી અને સુનીલ નરેન બે મોટા સ્પીનર છે. મોઈન અલીનો અનુભવ પણ KKR ને કામ આવી શકે છે. 


https://ift.tt/Ja3zCbX
from SANDESH | RSS https://ift.tt/gRxGz8V
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ