GT vs MI મેચ રદ્દ થાય, તો આ ટીમ બહાર થઈ જશે

IPL 2025નું જૂનુન દરેક ક્રિકેટ ચાહકો પર અત્યારે સવાર થઈ ગયું છે. એલિમિનેટર મેચના રણશિંગા વાગી રહ્યા છે ત્યારે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આ હાઇ વૉલ્ટેજ મેચ રમશે. પરંતુ જો આ મેચ વરસાદ કે અન્ય કોઈ કારણોસર રદ્દ થાય છે, તો એક ટીમ રમ્યા વિનાજ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ જશે.

ફાઇનલની રેસ માટે જંગ 

IPL 2025ના પ્લેઓફની મેચ આજથી એટલેકે 29 મે થી શરૂ થવા જઈ રહી છે. આજે RCB અને પંજાબની ટીમ ક્વોલિફાયર-1 માં સામે સામે પૂરા દમ સાથે ટકરાશે અને 30 મે 2025 ના એલિમિનેટર મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આજે અને આવતી કાલે બંને ટીમો ફાઇનલની રેસમાં પોતાનું સ્થાન નક્કી કરવા માટે ટકરાશે અને હારનાર ટીમ લીગમાંથી બહાર થઈ જશે. પરંતુ જો એલિમિનેટર મેચ વરસાદ કે બીજા કોઈ કારણોસર રદ્દ થાય છે, તો બંને માંથી કઈ ટીમ બહાર થશે તે પણ એક પ્રશ્ન છે.

એલિમિનેટર મેચ પ્લેઓફનો તબક્કો

આઈપીએલની એલિમિનેટર મેચમાં ત્રીજા અને ચોથા સ્થાને રહેનાર ટીમો ફાઇનલમાં જગ્યા કરવા માટે જંગ લડશે. આ મેચમાં જે પણ ટીમ વિજેતા સાબિત થશે તે ટીમને ફાઇનલમાં પહોંચવાની તક મળે છે. હાલ જોવા જઈએ તો GT vs MI મેચમાં બંને ટીમો માટે આ પાર યા પેલે પાર જેવી હાલત છે.

કોઈ કારણોસર મેચ રદ્દ થાય તો?

અહિયાં BCCIના એક નિયમ મુજબ જો વરસાદ કે અન્ય કોઈ કારણોસર મેચ રદ્દ થાય છે, તો લીગ સ્ટેજમાં ચોથા સ્થાને રહેનાર ટીમ સીઝનમાંથી સીધી બહાર થઈ જશે. લીગ સ્ટેજમાં ગુજરાત હાલ ત્રીજા સ્થાને છે અને મુંબઈ ચોથા સ્થાને છે. ગુજરાત ટાઇટન્સનું પલડું અહિયાં ભારે દેખાય છે જો મેચ રદ્દ થાય છે, તો મુંબઈ ઇન્ડિયન્સ IPL 2025 માંથી બહાર થઈ જશે.


https://ift.tt/kVco6TQ
from SANDESH | RSS https://ift.tt/XOUE8fk
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ