
Aravalli News: અરવલ્લી જિલ્લામાં આજે કુદરતી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડતી એક મોટી દુર્ઘટના સામે આવી છે. જિલ્લાના માલપુર, મેઘરજ અને શામળાજી એમ ત્રણ મહત્વના વિસ્તારોમાં એકસાથે જંગલના ડુંગરોમાં ભીષણ આગ ફાટી નીકળી છે. ખાસ કરીને માલપુરના લોઢીયાના પહાડીયા (અંબાવા) વિસ્તારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે સ્થાનિક વનસ્પતિ અને વન્યજીવો પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગની મોટી જ્વાળાઓ સાથે આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે.
એક કલાકથી જાણ છતાં વન વિભાગનો અધિકારી ડોકાયો નહીં!
https://ift.tt/tad9jMg
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/kxuhLFe
via IFTTT
0 ટિપ્પણીઓ