તમારી દીકરીને ક્યારે મોકલવાની છે કહી પત્ની તેની માતા સાથે રહેવા ચાલી ગઇ હોઇ તેના ઘરે જઇ મારકૂટ કરતા ફરિયાદ
મોરબી, : મોરબી શહેરની આંબેડકર કોલોનીમાં જમાઈએ સાસુને માર માર્યાની ઘટના સામે આવી છે. જેમાં જમાઈએ તમારી દીકરીને ક્યારે મોકલવાની છે. કહીને સાસુને માર મારતા બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીના વિસીપરા આંબેડકર કોલોનીમાં રહેતા પ્રભાબેન રમેશભાઈ સારેસાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેની દીકરી છેલ્લા ત્રણેક માસથી પતિથી જુદી રહેવા જતી રહી હોય અને એક માસથી તે પોતાની માતા ફરિયાદી પ્રભાબેન સાથે રહેવા ચાલી ગઇ છે.
જેથી આરોપી વસંત દાનાભાઈ રાઠોડે પ્રભાબેનના ઘરે જઈને તમારે દીકરીને ક્યારે મોકલવાની છે. તેમ પૂછતાં પ્રભાબેને તમારા ઘરના બે વડીલોને લાવો અમે વાતચીત કરશું. તેમ કહેતા આરોપી વસંત રાઠોડે ગાળો આપી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી વિરૂદ્ધ મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
https://ift.tt/2OkiHmF
0 ટિપ્પણીઓ