- હાઈ વોલ્ટેજ વીજ લાઈનના કારણે લોકોને તેમજ માલ મિલ્કતને નુકશાન થવાની ભીતિ
- હાઈ વોલ્ટેજ વીજ લાઈનનુ કામ અટકાવવા માટે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો
જુના ગામોને સીઆરઝેડ વિસ્તારમાં નવા પ્લોટ સનંદ પણ આપવામાં આવતા નથી ત્યારે માનવજાતને જોખમી હોય અને અકસ્માત સર્જી નિદોર્શ લોકોના જીવ અને માલ મિલકતને નુકસાન કરે તેવી હાઇવોલ્ટેજ વિજ લાઇનો નાખવાની મંજુરી કોઇ સંજોગોમાં આપી ના શકાય, તેમ છતા કે.પી.વિન્ડ ફાર્મ મનસ્વી રીતે ગામના ગામ ઉજ્જડ કરી નાખે, માનવ વસવાટ નાબુદ કરી નાખે તેમ મનસ્વી રીતે કામગીરી કરી હાઇ વોલ્ટેજ વિજ લાઇનો ઉભી કરે છે. માનવ જીવ તેમજ જીવસૃષ્ટિને જોખમી એવી સદર કામગીરીને કલેકટર તથા સરકારના જ્વાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલીક અટકાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. દરિયા કિનારે નાની ખેતી, મીઠા ઉદ્યોગ, મચ્છીમારી જેવા વ્યવસાય કરીને લોકો જીવન નિર્વાહ કરી રહ્યા છે. સરકાર નિયમોનું પાલન કરાવી માનવ જીંદગીનું રક્ષણ કરે તેવી માંગણી છે.
માનવ વસવાટ રહેણાંકી વિસ્તાર ઉપરથી ઉપરોક્ત હાઇ વોલ્ટેજની લાઇનો નાખવાની કામગીરી વહેલી તકે રોકવામાં આવે તેવી સમગ્ર ગ્રામજનોની માંગણી છે. અલંગથી શરૂ કરીને જાફરાબાદ સુધીના દરિયા કિનાર ઉપર સીઆરઝેડ વિસ્તારમાં થતી કામગીરીનું નિયમન કરવાની જ્વાબદારી ગુજરાત મેરીટાઇમ બોર્ડની છે, તેવા સંજોગોમાં આ સમગ્ર વિસ્તારમાં ઉકત કામગીરી બેફામ રીતે થઇ રહી છે, ત્યારે તેને તાત્કાલીક ધોરણે રોકવામાં આવે તેવી લોકોની માંગણી છે. આ બાબતે ભાવનગરના જિલ્લા કલેક્ટર સહિતની રજુઆત કરવામાં આવી છે.
https://ift.tt/2uaVsMi
0 ટિપ્પણીઓ