અમદાવાદ
ખેડા જિલ્લાના માતકના ઊંઢેલા ગામમાં નવરાત્રી દરમિયાન બે કોમ વચ્ચે થયેલી તકરારને પગલે ખેડા પોલીસના લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફ દ્વારા આરોપીને વીજ થાંભલા સાથે બાંધીને જાહેરમાં મારવાના મામલે ડીજીપીએ જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા છે. સાથેસાથે એક સામાજીક સંસ્થા દ્વારા ડીજીપી અને ગૃહવિભાહના ચીફ સેક્રેટરીને લીગલ નોટિસ પાઠવવામાં આવી છે. ખેડા જિલ્લાના માતરના ઊંઢેલા ગામમાં નવરાત્રીના ગરબા દરમિયાન વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવાના મામલે બે કોમ વચ્ચે અથડામણ થઇ હતી. જે અંગે ખેડા પોલીસે ગુનો નોંધીને ૧૩ લોકોની ધરપકડ કરી હતી. જે પૈકી બે વ્યક્તિઓને ગામમાં લઇ જઇને વીજ થાંભલા સાથે બાંધીને ખેડા એલસીબીના પીઆઇ અશોક પરમાર અને અન્ય સ્ટાફ દ્વારા જાહેરમાં મારવામાં આવ્યા હતા. જેના વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતા. સાથે સાથે સમાચારોના માધ્યમમાં પણ દર્શાવવામાં આવ્યા હતા. જેના આધારે અલ્પ સંખ્યક મંચ દ્વારા ડીજીપીને મળીને સમગ્ર ઘટના અંગે તપાસ કરવા માટે રજૂઆત કરી હતી. સાથેસાથે અન્ય સામાજીક સંસ્થા દ્વારા ડીજીપી અને ગૃહવિભાગના ચીફ સેક્રેટરીને લીગલ નોટિસ પણ પાઠવવામાં આવી હતી. જેમાં પુરાવા પણ મોકલવામાં આવ્યા હતા.જેના આધારે જવાબ પાઠવવા જણાવવામાં આવ્યું હતું. બીજી તરફ ડીજીપી આશિષ ભાટિયાએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. ખેડા ડીવાયએસપી વી એન સોંલકીને સમગ્રમ મામલે તપાસ કરીને રિપોર્ટ કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, કોર્ટમાં બે આરોપીઓએ પોલીસે માર માર્યાની રજૂઆત કરતા તેમને મેડીકલ તપાસ માટે મોકલવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.જો કે અલ્પ સંખ્યક મંચ દ્વારા કેટલીક માંગણીઓ કરવામાં આવી હતી. જેમાં વિડીયોમાં દેખાતા તમામ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની માંગણી મુખ્ય છે. આ ઉપરાંત, આ મામલે બે કોમ વચ્ચે કોઇ વચ્ચે તકરાર ન થાય અને વાતાવરણ ડહોળાઇ નહી તે માટે જરૂરી પગલાં ભરવા કહેવામાં આવ્યું છે.
https://ift.tt/LMORHeP
0 ટિપ્પણીઓ