અમદાવાદ,બુધવાર
શહેરના મીરઝાપુર વિસ્તારમાં બે વર્ષ પહેલા બિલાલ બેલીમ નામના યુવકની ધંધાકીય અદાવતમાં માથાભારે વ્યક્તિ તેમજ તેના ત્રણ પુત્રોએ છરીના ૪૦ જેટલા ઘા મારીને હત્યા કરી હતી. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી મોહસીન સૈયદે સેન્શન કોર્ટમાં ૩૦ દિવસના જામીનની અરજી કરી હતી. જેમાં તેના ઘરમાં આગ લાગતા થયેલા નુકશાનને કારણે સમારકામ અને આર્થિક આયોજન કરવાનું કારણ આપ્યું હતું. પરંતુ, જામીન અરજીમાં અપુરતી રજૂઆત અને આરોપી ફરિયાદી તેમજ ેકેસ સાથે સંકળાયેલા લોકોને ધાક ધમકી આપી શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને કોર્ટે જામીન અરજી નકારી કાઢી હતી.
https://ift.tt/Es15i6D
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/K26OImz
via IFTTT
0 ટિપ્પણીઓ